ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી
ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આજે આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારીમાં ફરવા લાયક સ્થળો બંધ હોવાથી ટ્રાવેલ્સનાં વ્યવસાયને ફટકો પડ્યો છે, બસો બંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ટેક્સ ભરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે, સાથે જ ઉભેલી ગાડીઓનાં પણ ટેક્સ સરકાર દ્વારા એડવાન્સમાં લેવામાં આવતા હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે આજે ટ્રાવેલ્સ સંચાલકોએ આર.ટી.ઓ કચેરીએ ભેગા મળી કચેરીમાં બેસી જઇ આર.ટી.ઓ અધિકારીને આવેદનપત્ર પાઠવી 100 ની પાવતી પર વાહનો નોન યુઝ કરવા અને વાહનો આર.ટી.ઓ ઓફિસમાં સરેન્ડર કરવા રજુઆત કરી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.