અંકલેશ્વર
અંકલેશ્વર જીઆઈડીસીના બી પમ્પીંગ સ્ટેશન પાસેની વરસાદી કાંસમાં એસીડીક વેસ્ટ કેમિકલનો નિકાલ થઈ રહયો હોવાનું પ્રકાશમાં આવતા અંકલેશ્વર જીપીસીબી દ્વારા ઘનિષ્ઠ તપાસ આદરવામાં આવી છે. નજીકના વિસ્તારમાં આવેલ કોઈ ટ્રાન્સપોર્ટરની આ કરતૂત હોય શકે તે શંકાના આધારે જીપીસીબી દ્વારા ચકાસણી હાથ ધરી જે અંગેનો ઇન્સ્પેક્શન રીપોર્ટ ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો.ગત ફેબ્રુઆરીમાં 22મીએ અંકલેશ્વર બી પમ્પીંગ સ્ટેશન પાસેની વરસાદી કાંસમાં કોઈ તત્વો દ્વારા એસીડીક વેસ્ટ કેમિકલનો નિકાલ કરાયો હતો. જેેની જાણ થતા જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ સગળ ન મળતા અંતે જીપીસીબીને એસીડીક વેસ્ટ કેમિકલના અંશો નોટીફાઈડની ડ્રેનેજમાં જોવા મળ્યા હતા. આ ડ્રેનેજ લાઈન ઈન્ડોકેમ કમ્પાઉન્ડમાંથી આવતી હોવાનું ફલિત થતા તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંતે શંકાના આધારે તે વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટરના ત્યાં તપાસ કરતાં કેટલાક અંશો અને ડ્રેનેજ લાઈન મળી આવી હતી. જે અંગેનો તપાસ રીપોર્ટ અંકલેશ્વર જીપીસીબી દ્વારા ગાંધીનગર મોકલી આપ્યો હતો.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.