નોબેલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસ ખાતે 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ડાભેલ થી પધારેલા મુફ્તી મહેમુદ બારડોલી સાહેબના વરદ હસ્તે ઘ્વજવંદન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જનાબ મવલાના સલમાન ખાનપુરી સાહબ ભારતના સ્વતંત્રતાની ચળવળના સપૂતો ને યાદ કર્યા હતા તથા ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલ દેશના બંધારણ અને તેના અધિકારો વિશે વિશેષ સમજ આપી હતી. તથા કારી તાહિર કરમાંદી સાહબ એ નિરાલા અંદાજ માં રાષ્ટ્રીય નાત પધી.
આ રાષ્ટ્રીય ગણતંત્ર પર્વ નિમિત્તે કોરોનાજેવી મહામારીથી આ દેશને મુક્તિ મળે તેવી પણ દુઆ ગુજારવામાં આવી હતી.આ પ્રસંગમાં મુફ્તી મહેમુદ બારડોલી સાહબ, કારી તાહિર કર્માડી સાહબ, કારી ઈલ્યાસ પિરામણનન, નોબેલ સ્ટીલ સ્ટાફ તથા ૧૫૦ થી વધુ વ્યક્તિઓ હાજર રહ્યા હતા પ્રોગ્રામના અંતમાં પધારેલા મેહમાનો તથા સ્ટાફગણ નો આભાર માની પ્રોગ્રામને પૂર્ણ કર્યો હતો પ્રોગ્રામના અંતમાં લાડુ વહેંચી પ્રોગ્રામમાં પધારેલા શોભા ગણનું મોહ મીઠું કરાવ્યું હતું.
નોબેલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસ માં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી કરાઈ ઉજવણી..
Views: 87
Read Time:1 Minute, 36 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.