ભરૂચના નેત્રંગ તાલુકામાં જૂના નેત્રંગ પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષિકા ઝાલા રામીબેન દેવસીભાઈને તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ વક્તા મોરારીબાપુના હસ્તે “ચિત્રકૂટ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.
તેમને ઈનોવેશન અને ક્રિયાત્મક સંશોધન, રીસર્ચ પેપર લેખન અને પ્રેઝન્ટેશન,(RP, KRP) – તજજ્ઞ અને નિર્ણાયક તરીકેની કામગીરી, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં યોગદાન, School Innovation Council ની પ્રવૃત્તિઓ તેમજ રમત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન વગેરે શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી કામગીરી બદલ “ચિત્રકૂટ એવોર્ડ” મળ્યો છે. ખંતીલા અને ઉત્સાહી રામીબેન ઝાલાને આ સન્માન મળવાથી નેત્રંગ તાલુકા તેમજ ભરૂચ જિલ્લાના સમગ્ર શિક્ષણ પંથકમાં આનંદનું મોજું ફરી વળ્યુ છે. રામીબેનની શિક્ષણક્ષેત્રની આ ઉપલબ્ધિથી તાલુકા તથા જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.