હિન્દુ મહિલા પતિને પામવા અંધશ્રદ્ધામાં અંકલેશ્વરના કરમાલીના મદ્રેસાના મોલવી પાસે પહોંચી અને બની ગઈ દુષ્કર્મનો ભોગ..
અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડી ને આવેલ એક ગામમાં રહેતી હિંદુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અજવદ બેમાતના જોડે થયો હતો.જે બાદ વારંવાર મહિલાને મૌલવી એ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે અને લગ્ન લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત 9 મી નવેમ્બર ના રોજ મદ્રેસા ખાતે આવેલ ઘેર બોલાવી હતી અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઇ જતાં તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું.મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહિ કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ મહિલાએ મૌલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી તબીબી પરિક્ષણ કરવામાં આવ્યા છે.





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.