ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેકટર ગૌરાંગ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિ લક્ષી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.