ભરૂચ – સોમવાર – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાંઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસયાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરી રહ્યો છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રતિદિન ૦૩ ગામમાં વિકાસ રથ ભ્રમણ કરી રહ્યો છે. આ વિકાસ રથ નેત્રંગ ગ્રામ પંચાયત ખાતે પહોચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતી ચેમરમેન શ્રી રાયસિંગ વસાવાના અઘ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા આ વિકાસ રથમાં ફિલ્મ નિહાળવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ સહિત શપથ લેવામાં આવ્યા હતા. લાભાર્થીઓને સ્થળ પર મકાન સહાય, આયુષ્યમાન કાર્ડ અને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. વિકાસ રથ સાથે ગ્રામ વિકાસના કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે, સરપંચ શ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી શ્રીમતી વર્ષાબેન દેશમુખ, કારોબારી અઘ્યક્ષશ્રી શ્રીમતી કમળાબેન વસાવા, સામાજીક ન્યાય સમિતી સરોજબેન યુ. વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી યોગેશકુમાર ૫વાર, ડો.એ.એન.સીંગ, તલાટીશ્રી અને મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.