સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતમાં સક્રિય થયા છે. તેઓ અંબાનગર ખાતે આવેલી પોતાની ઓફિસ સામેની દુકાનોમાં ‘સ્વદેશી’ સ્ટીકર લગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે દેશનું નામ લીધા વગર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જેમાં તેમણે દેશની આર્થિક સ્વતંત્રતા અને એકજૂટતા પર ભાર મૂક્યો. સી.આર.પાટીલે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ દેશ દબાણ લાવીને આપણા દેશને નમાવી ન શકે. તેમણે કહ્યું કે, “એકજૂટતા તો આપણામાં હોવી જ જોઈએ.” આ નિવેદનને તાજેતરમાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફ સાથે જોડવામાં આવી રહ્યું છે, જોકે સી.આર.પાટીલે કોઈ દેશનું નામ લીધું ન હતું. તેમણે ખાસ કરીને સુરત અને ગુજરાતના લોકોને આ દિવાળી પર ‘વોકલ ફોર લોકલ’ અને સ્વદેશી અપનાવના આગ્રહનું પાલન કરવા વિનંતી કરી. તેમણે વેપારીઓને પણ અપીલ કરી કે સરકારે GSTમાં ઘટાડો કરીને જે લાભ આપ્યો છે, તે ગ્રાહકો સુધી પહોંચાડે અને માત્ર પોતાની પાસે જ ન રાખે. સી.આર.પાટીલે કહ્યું કે, GST ઓછો થવાથી ગ્રાહકોને ફાયદો થશે, તેમની ખરીદ શક્તિ વધશે અને આખરે વેચાણમાં વધારો થશે. આનાથી વ્યાપાર ચક્ર ફરી ઝડપથી ગતિમાન બનશે. તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં મળેલ આ તકનો લાભ લેવા અને દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા પર ભાર મૂક્યો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.