Nari Prahar

News Website

ભરૂચમાં માનવતાની મિસાલ:કેનાલમાં પડેલી નીલગાયને ગ્રામજનોએ સુરક્ષિત બહાર કાઢી

Views: 8
0 0

Read Time:1 Minute, 3 Second

ભરૂચ તાલુકાના કારેલાં-પાદરીયા નજીક નર્મદા કેનાલમાં એક નીલગાય અચાનક પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.કેનાલમાં ફસાયેલી નીલગાયને બચાવવાનું કાર્ય પડકારજનક હતું. ગ્રામજનોએ સામૂહિક પ્રયાસો કર્યા. લાંબી મહેનત બાદ તેઓ નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા. રેસ્ક્યુ બાદ નીલગાયને તેના કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવી.ગ્રામજનોની આ સેવાભાવી કામગીરીથી એક નિર્દોષ પ્રાણીનો જીવ બચી ગયો. આ ઘટનાએ પશુપ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આસપાસના વિસ્તારોમાં લોકો ગ્રામજનોની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %