પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરાર કેદી / આરોપી પકડવા સારૂ અંકલેશ્વર શહેર પો.સ્ટે . વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ઝગડીયા પો.સ્ટે . ગુ.ર.નં. l- ૪૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા જામીન ન મળતા ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપેલ કાચા કામના આરોપી સુરેશભાઇ જગદીશભાઇ વસાવા રહે માંડવા , વસાવા ફળીયું , તા – અંકલેશ્વર જી.ભરૂચનાને coVID – 19 કોરોના વાયરસ સામે સાવચેતી ધ્યાને રાખીને મજકુર આરોપીને નામદાર કોર્ટ ભરૂચ દ્વારા તા . ૦૧/૦૪/૨૦૨૦ નારોજ ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ જે આરોપીને તા . ૩૦/૧૨/૨૦૨૦ ના રોજ ભરૂચે સબ જેલ ખાતે હાજર થવાનું હોય છે હાજર ન થતા ફરાર થઈ ગયેલ જે આરોપીને આજરોજ તા . ૦૩/૦૧/૨૦૨૧ નારોજ માંડવા તેના ઘર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે . અને હાલની કોરોના વાયરસ ( COVID – 19 ) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો covop – 19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે .
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.