Nari Prahar

News Website

0 0
1 min read

લાઠી તાલુકાના મતીરાળા ગામે કુવામાં કોઈ અજાણ્યા શખ્સની લાશ હોવાની જાણ કરાતા અમરેલી ફાયર બ્રિગેડની ટીમે અહીં દોડી જઈ યુવકની કોહવાયેલી લાશ કુવામાંથી બહાર કાઢી હતી. આ યુવકનું 15 દિવસ પહેલા કુવામાં ડૂબી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે કુવામાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. લાઠી તાલુકાના મતીરાળા ગામે એક વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ વ્યક્તિની લાશ પડી હોવાની અમરેલી પોલીસ કંટ્રોલ રૂમને જાણ થઈ હતી. જેને પગલે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા આ અંગે અમરેલી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર બ્રિગેડ સ્ટાફના કૃષ્ણભાઈ ઓળકિયા, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા, ઋત્વિકભાઈ ભીમાણી અને ચિરાગભાઈ સોની વિગેરે અહીં દોડી ગયા હતા.

         આ વ્યક્તિ પંદરેક દિવસ પહેલા કુવામાં ડૂબી ગઈ હતી. જેની બોડી હાલ ઉપરની સપાટીએ...
         ચાણસ્મા નગરપાલિકાની અંદર પ્રમુખની ટર્મ પૂરી થતાં નગરપાલિકાને વહીવટદાર હસ્તક કરી દેવામાં આવતા જાણે...
         પાટણ જિલ્લાના સિદ્ધપુર મિત્રમંડળ સેવા સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓ ની છેલ્લા 21 વર્ષથી મેડીકલ...
         પાટણ જિલ્લાના સમી તાલુકા ના વઢીયાર યુવા સેવા સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓ ની છેલ્લા...
         ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના...
         રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા તથા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દર વર્ષે કરોડો...