ભરૂચ- નેશનલ હાઈવે નં .૪૮ ( જુના ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/000 ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ( ભરૂચ થી વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ ) જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપેરીંગ જરૂરી છે . જેથી બ્રીજ રીપેરીંગ અર્થે બંધ કરી ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનોને વડોદરા થી ભરૂચ તરફ આવતાં હોઈ હાઈવે પર ડાયવર્ટ કરી નેશનલ હાઈવે નં .૪૮ ( જુના ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી , ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર વાહનોની અવર – જવર માટે બંધ કરવો આવશ્યક જણાય છે . જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩ ( ૧ ) ( બી ) અન્વયે મળેલ સતાની રૂ એ તા.૦૪-૧૦-૨૦૨૧ થી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધી દિન -૦૫ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં .૪૮ ( જુનો ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨૮૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ કરવા હુકમ કરવામાં આવેલ છે . સદર રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો થી ભરૂચ આવતાં બ્રીજ / હાઈવે પર ડાયવર્ટ કરવા , પ્રોજેક્ટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ – વે લી . , એ ભરૂચ થી વડોદરા તરફ જતાં તથા વડોદરા થી ભરૂચ તરફ અવર – જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ / હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરવાની રહેશે એમ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે.
નેશનલ હાઈવે ને .૪૮ ( જુનો ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/000 ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ જાણો વધુ….!!
Views: 90
Read Time:2 Minute, 22 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.