Nari Prahar

News Website

તલોદરા પાસેનું નાળુ ઓવરફલો થતા 50 ગામોને અસર

Views: 85
0 0

Read Time:1 Minute, 45 Second

તલોદરા પાસેનું નાળુ ઓવરફલો થતા 50 ગામોને અસર

ઝઘડિયા તાલુકામાં મેગા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવા પછી પણ ગામડામાંથી તાલુકા મથક, જીઆઇડીસી જોડતા રસ્તા આઝાદીના આટલા વર્ષો પછી પણ વિસ્તૃતીકરણ અથવા નવીનીકરણ થયા નથી. મુખ્ય ધોરી માર્ગોને બાદ કરતા ધોરીમાર્ગોથી ગામડાઓને જોડતા રસ્તાની હાલત ખરાબ છે જેના કારણે ચોમાસામાં ગામડાના કામદારોને જીઆઇડીસીમાં જતા મુશ્કેલીઓનો સામનો કરે છે.

ઝઘડિયા વાલિયા નેત્રંગના ગામડાઓથી જીઆઈડીસી ઝઘડિયાને જોડતો મોરતલાવથી તલોદરાને જોડતા રસ્તા પર એક નાળુ (સુપડી) આવેલ છે જે ખૂબ જ નીચું છે, જેના કારણે ઝઘડિયા તાલુકાના વાસણા, ધારોલી, શીયાલી આમલઝર, પડવાણીયા, તેમજ નેત્રંગ તાલુકા તરફથી આવતા અને વાલીયા તાલુકાના કેટલાક ગામોમાં થી આવતા જીઆઇડીસીમાં જતા કામદારો આ રસ્તાનો ઉપયોગ કરે છે.

આ રસ્તા પર આવેલ નાળુ (સુપડી) સામાન્ય વરસાદમાં પણ છલકાઈ જાય છે અને નાળા પરથી ચાર ફુટથી વધુ પાણી ઓવરફ્લો થઈને વહે છે, જેથી મોરતલાવથી તલોદરાના રસ્તાનો ઉપયોગ કરતાં 50 થી વધુ ગામના જીઆઇડીસીમાં કામે આવતા કામદારોને આ નાળુ ઓવરફ્લો થવાના કારણે ઘરે પર જવું પડે છે કાં તો ધારોલી અથવા વાલીયા થઈ દશ કિલોમીટરથી વધુનો ફેરો ફરી જીઆઇડીસી પહોંચવું પડે છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %