તલોદરા પાસેનું નાળુ ઓવરફલો થતા 50 ગામોને અસર
ઝઘડિયા તાલુકામાં મેગા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવા પછી પણ ગામડામાંથી તાલુકા મથક, જીઆઇડીસી જોડતા રસ્તા આઝાદીના આટલા વર્ષો પછી પણ વિસ્તૃતીકરણ અથવા નવીનીકરણ થયા નથી. મુખ્ય ધોરી માર્ગોને બાદ કરતા ધોરીમાર્ગોથી ગામડાઓને જોડતા રસ્તાની હાલત ખરાબ છે જેના કારણે ચોમાસામાં ગામડાના કામદારોને જીઆઇડીસીમાં જતા મુશ્કેલીઓનો સામનો કરે છે.
ઝઘડિયા વાલિયા નેત્રંગના ગામડાઓથી જીઆઈડીસી ઝઘડિયાને જોડતો મોરતલાવથી તલોદરાને જોડતા રસ્તા પર એક નાળુ (સુપડી) આવેલ છે જે ખૂબ જ નીચું છે, જેના કારણે ઝઘડિયા તાલુકાના વાસણા, ધારોલી, શીયાલી આમલઝર, પડવાણીયા, તેમજ નેત્રંગ તાલુકા તરફથી આવતા અને વાલીયા તાલુકાના કેટલાક ગામોમાં થી આવતા જીઆઇડીસીમાં જતા કામદારો આ રસ્તાનો ઉપયોગ કરે છે.
આ રસ્તા પર આવેલ નાળુ (સુપડી) સામાન્ય વરસાદમાં પણ છલકાઈ જાય છે અને નાળા પરથી ચાર ફુટથી વધુ પાણી ઓવરફ્લો થઈને વહે છે, જેથી મોરતલાવથી તલોદરાના રસ્તાનો ઉપયોગ કરતાં 50 થી વધુ ગામના જીઆઇડીસીમાં કામે આવતા કામદારોને આ નાળુ ઓવરફ્લો થવાના કારણે ઘરે પર જવું પડે છે કાં તો ધારોલી અથવા વાલીયા થઈ દશ કિલોમીટરથી વધુનો ફેરો ફરી જીઆઇડીસી પહોંચવું પડે છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.